પોરબંદર, 7 જૂન (હિ.સ.) : પોરબંદરમાં ચોમાસના આગમન પહેલા મનપા અને પીજીવીએલ પ્રિ-મોન્સુનની કામગીરી કરી રહ્યાં છે પીજીવસીએલ અને મનપા બંન્ને કચેરીના અધિકારીઓ પ્રિ-મોન્સુનની કામગીરી સારી રીતે ચાલતી હોવાના દાવાઓ કરી રહ્યાં છે.પોરબંદર વર્તુળ કચેરી હેઠળના વિવિધ ડીવીઝન વાઈઝ ફીડર મેન્ટશન અને વાયરીંગ સહિતની કામગીરી પ્રિ-મોન્સુન અંર્તગત ચાલી રહી છે તે અંગે પોરબંદર પીજીવીએલ અધિક્ષક સીસી ડામોરે પ્રિ-મોન્સુન લગત વિગતો આપતા જણાવ્યુ હતુ કે, પોરબંદર વર્તુળ કચેરી હેઠળ 637 ફીડર આવે છે જેમાંથી 382 ફીડરની મેન્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે 152 ફીડરો હાલ મેન્ટેશનની કામગીરી ચાલી રહી છે ખેતીવાડીના 29 ફીડરો આવતા અઠવાડીયાએ કરવામાં આવશે તેમજ 76 એસએસડીમાં મેન્ટશની કામગીરી ઓછી હોય છે પણ તેમાં જરૂરી કામગીરી કરવામાં આવશે હાલ દરરોજ 18 ટીમો મેન્ટશનની કામગીરી કરી રહી છે.
તેમજ દરેક ડિવિઝન વાઈઝ બે હેલ્પ લાઈન નંબર ગ્રાહકો માટે આપવામાં આવ્યા છે.
ચોમાસામાં પરિસ્થિતિને ધ્યાને રાખી 35-40 ટિમ બોલાવશે
દરિયા કાંઠે વસેલા પોરબંદર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે પવન ચોમાસાના સમયગાળામાં ફુંકાતા હોય છે. આ સાથે સાથે દરિયાઈ વાવાઝોડાના ખતરાઓ પણ વધારે પડતા જોવા મળે છે. આ પરિસ્થિતિમાં પી.જી.વી.સી.એલ.ની જવાબદારી ખુબ વધારે હોય છે. ખાસ કરીને પોરબંદરના ઘેડ અને બરડા પંથકમાં આખા દિવસમાં અનેક વખત લાઈટ ટ્રીપ થવાની શક્યતા વધી જાય છે. ત્યારે ચોમાસાને લઈને પોરબંદર ખબરે પી.જી.વી.સી. એલ.ના અધિક્ષક સી.સી. ડામોર સાથે વાત-ચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ 18 ટિમો કાર્યરત છે. ચોમાસામાં થોડી ટિમો વધારવામાં આવશે ઉપરાંત પરિસ્થિતિને ધ્યાને રાખી જો જરૂર પડે તો અન્ય જિલ્લામાંથી 35-40 ટિમો બોલાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya