પરીક્ષામાં છબરડો થતા એ.બી.વી.પી દ્વારા રજુઆત કરાઈ
પોરબંદર, 7 જૂન (હિ.સ.) : ગુજરાતમાં વધુ પરીક્ષાનો છબરડા મામલે પોરબંદર એબીવીપીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોરબંદર એબીવીપીએ આવેદનપત્ર પાઠવી વિવિધ માંગ વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવી છે.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્
પરીક્ષામાં છબરડો થતા એ.બી.વી.પી દ્વારા રજુઆત કરાઈ.


પરીક્ષામાં છબરડો થતા એ.બી.વી.પી દ્વારા રજુઆત કરાઈ.


પરીક્ષામાં છબરડો થતા એ.બી.વી.પી દ્વારા રજુઆત કરાઈ.


પોરબંદર, 7 જૂન (હિ.સ.) : ગુજરાતમાં વધુ પરીક્ષાનો છબરડા મામલે પોરબંદર એબીવીપીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોરબંદર એબીવીપીએ આવેદનપત્ર પાઠવી વિવિધ માંગ વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવી છે.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઈડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલા છબરડા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ અને ગોઢાણીયા આઈટી & એન્જિનિરીંગ કોલેજના આચાર્ય મારફતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

પોરબંદર એબીવીપીએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 29/05/2025, ગુરુવારના રોજ ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઈડ મેથેમેટિક્સ, વિષય કોડઃ DI02000011ના પ્રશ્નપત્રમાં 30 માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો સુધારો યુનિવર્સિટી દ્વારા 12:26 કલાકે મેઇલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઈ ગઈ હતી.

જ્યારે બીજો મેઈલ 12:31 કલાક ના સમય દરમ્યાન વિધાર્થીઓને વધુ 1 કલાક અને 20 મિનિટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિધાર્થીઓ પેપર આપીને જતાં રહ્યા હતા. ત્રીજો મેઈલ 12:56 કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખૂબ જ ગંભીર વિષય છે.વિશ્વ વિદ્યાલયની ગંભીર બેદરકારીનાં કારણે હજારો વિધાર્થીઓનાં ભવિષ્ય અંધારામાં ચાલ્યા ગયા છે. જેથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા સેમેસ્ટર 2 નાં એપ્લાઈડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસિંગ આપવામાં આવે અને જે વિધાર્થીઓને પુનઃપરીક્ષા આપવી હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે તેમજ આ વિષયમાં દોષી તથા પરીક્ષા વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માગ પોરબંદર એબીવીપી દ્વારા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande