બનાસકાંઠામાં જિલ્લામાં કુલ ૬૧૪ગ્રામ પંચાયતો માટે ૧૧૮૨ મતદાન મથકો પર કુલ ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે
અંબાજી,09જુન (હિ. સ) ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ માટે કુલ ૬૧૪ ગ્રામ પંચાયત માટે તારીખ ૨૨ જૂન ૨
બનાસકાંઠામાં જિલ્લામાં કુલ ૬૧૪ગ્રામ પંચાયતો માટે ૧૧૮૨ મતદાન મથકો પર કુલ ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે


અંબાજી,09જુન

(હિ. સ) ચૂંટણી

આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર તથા પેટા

ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં

બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ માટે કુલ ૬૧૪ ગ્રામ પંચાયત માટે તારીખ ૨૨ જૂન ૨૦૨૫

રવિવારના રોજ સવારના ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ ૬૧૪

ગ્રામ પંચાયત પૈકી ૩૮૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય/વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા

૨૨૯ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે.

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૮૨ મતદાન મથકો પર ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં

સહભાગી બનશે. જેમાં ૫૩,૭,૪૮૮ પુરુષ મતદારો તથા ૫૦,૬,૫૮૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લાની ૬૧૪ ગ્રામ પંચાયતો પૈકી ૪૦૫ સરપંચની બેઠકો તથા ૩૫૭૦ વોર્ડના સભ્યોની

બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં ૨૨૬૩ મતપેટીની સંખ્યા તથા ૧૧૫ ચૂંટણી

અધિકારી અને ૧૧૫ મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે ૬,૮૧૧ પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.

જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૬૬ ગ્રામ પંચાયતમાં કુલ ૪૧

સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતમાં ૧૩

સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ૧૬-ડીસા

ગ્રામ પંચાયત ખાતે ૪૫૦૦ જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande