રાધનપુરના રસ્તાઓમાં કોંગ્રેસે ઊંધો ધ્વજ લગાવી દાખવ્યો વિરોધ
પાટણ, 9 જૂન (હિ.સ.) : રાધનપુર શહેરના જલારામ સોસાયટી, પટણી ગેટ, મેઇન બજાર અને મીરાં દરવાજા વિસ્તારમાં રસ્તાઓની ખરાબ હાલત અને ખુલ્લી ગટરોના મુદ્દે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાના ખાડાઓમાં ભાજપનો ઊંધો ધ્વજ લગાવ્યો,
રાધનપુરના રસ્તાઓમાં કોંગ્રેસે ઊંધો ધ્વજ લગાવી દાખવ્યો વિરોધ


પાટણ, 9 જૂન (હિ.સ.) : રાધનપુર શહેરના જલારામ સોસાયટી, પટણી ગેટ, મેઇન બજાર અને મીરાં દરવાજા વિસ્તારમાં રસ્તાઓની ખરાબ હાલત અને ખુલ્લી ગટરોના મુદ્દે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાના ખાડાઓમાં ભાજપનો ઊંધો ધ્વજ લગાવ્યો, શ્રીફળ ફોડ્યા અને ફૂલહાર ચડાવતાં નગરપાલિકાના ઊંધા વિકાસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે નગરપાલિકા દ્વારા આયોજન વગર પહેલા રસ્તાઓ બનાવવામાં આવે છે અને પછી ગટર નાંખવા માટે તે તોડી પાડવામાં આવે છે. તાજેતરમાં જલારામ સોસાયટી પાસે નવો બનાવેલો રોડ ગટરના નાળા માટે તોડી પાડવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા અને રોજગાર પર અસર થઈ છે. કોંગ્રેસે નળ સે જલ યોજના હેઠળ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મુક્યો છે.

આ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ભાજપ તારો ઊંધો વિકાસના નારા લગાવ્યા હતા. વર્ડ-1ની કોર્પોરેટર જયાબેન ઠાકોર, નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને રાધનપુર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે નગરપાલિકાના અવ્યવસ્થિત વહીવટ, ભ્રષ્ટાચાર અને રહીશોની મુશ્કેલીઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande