-નગરપાલિકાના અમુક વિસ્તારમાં પાણીનો બગાડ થતો હોય કાર્યવાહી કરવા જતા સ્થાનિકે હુમલો કર્યો
-યુવાન વિરુદ્ધ કાયદેસર પોલીસ ફરિયાદ કરી કામગીરી કરવા પોલીસ પ્રોટેક્શનની માંગ કરી
-ભાગલી વાડ, કાવા ભાગોળ,નાઝ સિનેમા, ખાટકીવાડ,પટેલ ધર્મશાળા નળ કનેક્શન કાપ્યા હતા
ભરૂચ 9 જૂન (હિ.સ.) જંબુસર નગરમાં નગરપાલિકાના નળ કનેક્શન દ્વારા લોકોના ઘરે ઘરે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ નગરજનો દ્વારા જાહેરમાં કપડાં ધોવા, વાસણો માજવા અને નળ ઘણી વખત ખુલ્લા રાખવામાં આવે છે જેના લીધે પાણી જાહેર રસ્તા ઉપર વહે છે અને ગંદકી થાય છે. નગરજનોને ભારે મુશ્કેલી સામનો કરવો પડે છે. આ બાબતે સ્થાનિકોએ ઘણી વખત નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને નગરપાલિકા પ્રમુખ અમીશા શાહ અને ચીફ ઓફિસર દ્વારા વખતો વખત પાણીનો વેડફાટ અટકાવવા નગરના ભાગલી વાડ. કાવા ભાગોળ. નાઝ સિનેમા. ખાટકી વાડ. પટેલની ધર્મ શાળા જેવા વિસ્તારમાં નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને સૂચના પણ આપવામાં આવી હતી કે પાણીનો બગાડ કરશો તો નળ જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુ જ રહેશે.
આજરોજ દરબાર ખડકી આગળ પાણીનો વેડફાટ થાય છે એવી નગરપાલિકાને જાણ થતા નગરપાલિકાના કર્મચારીઓ આ વિસ્તારમાં જઈ પાણીનો બગાડ થાય છે તે રૂબરૂ જોતા નળ કનેક્શન કાપવા જણાવ્યું હતું .આ બાબતે ટોળું ભેગું થઈ જતા નગરપાલિકાના કર્મચારી અને ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ વખતે એક વ્યક્તિએ લાકડી લઈને અધિકારીને મારવા જતા નગરપાલિકાના ત્રણ કર્મચારીએ લાકડી પકડી લેતા તેનો બચાવ થયો હતો આ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને નગરપાલિકાના સત્તાધીશો પાસે નળ કનેક્શન કાપવા માટે તેમના જાવને જોખમ હોવાથી પોલીસ પ્રોટેકશન સાથે કામ પર જઈશું એવી માંગણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ