કતારગામના વૃદ્ધને વિદેશ મોકલવાના બહાને એક લાખની છેતરપિંડી
સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવનગાળતા વૃદ્ધને ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. અલ્થાણમાં વીઆઈપી પ્લાઝાની સામે પેલેડિયમ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા બાલાજી હોલીડે નામના સંચાલકે વૃદ્ધને વિદેશ ફરવા મોકલવાના બહાને રૂપિયા એક લાખ
કતારગામના વૃદ્ધને વિદેશ મોકલવાના બહાને એક લાખની છેતરપિંડી


સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવનગાળતા વૃદ્ધને ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. અલ્થાણમાં વીઆઈપી પ્લાઝાની સામે પેલેડિયમ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા બાલાજી હોલીડે નામના સંચાલકે વૃદ્ધને વિદેશ ફરવા મોકલવાના બહાને રૂપિયા એક લાખ પડાવી લઈ વિદેશ નહીં મોકલી પૈસા ચાઉં કરી લીધા હતા.

જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધે આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસે હરીદર્શન સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પ્રાગજીભાઈ ગૌદાની હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેઓને વિદેશ પ્રવાસે જવાનું હોવાથી તેઓએ અલથાણ વિસ્તારમાં વીઆઈપી પ્લાઝા ની સામે બનારસી સર્કલ પર આવેલ પેલેડિયમ કોમ્પ્લેક્સ માં ઓફિસ ધરાવતા બાલાજી હોલીડેના સંચાલક અશ્વિનભાઈ દેવરાજભાઈ નાકરાણી (રહે ભક્તિ નદન સોસાયટી સેક્ટર 2 મોટા વરાછા) નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અશ્વિનભાઈ નાકરાણીએ રાજેશભાઈને વિદેશ ફરવા જવાના બહાને વાતોમાં ભોળવી તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ પચાવી પાડ્યા હતા પરંતુ ત્યારબાદ પણ વિદેશ પ્રવાસે નહીં મોકલી પૈસા પણ પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેથી બાદમાં રાજેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande