-રંગ અવધૂત મહારાજના ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા
-વર્ષો પહેલા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ પધાર્યા હતા
-સ્નપ્ન 81 કળશ દ્વારા અલગ અલગ રસથી અભિષેક કરાયો હતો
-વાજતે ગાજતે ભક્તિ રસ સાથે ભજન કીર્તનના તાલે રંગ કૂટીરમાં બાપજીની પધરામણી કરાઈ
ભરૂચ 9 જૂન (હિ.સ.) જંબુસર તાલુકાના સારોદ ગામે વર્ષો પહેલા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ પધાર્યા હતા.ત્યાં રંગ અવધૂત મહારાજની કુટીર બનાવેલ હતી.હાલ સારોદ વાંટા કાવી કંબોઈ રોડની બાજુમાં મહારાજ શ્રીની અમીદ્રષ્ટિ અને આશીર્વાદથી રંગ અવધૂત પરિવાર સારોદ દ્વારા નવીન કુટીરનું નિર્માણ કરાયું હતું.કુટીરના વાસ્તુ પૂજન, પાદુકા પૂજન સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.સવારથી જ રંગ ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા.સવારે રંગકુટીરની વાસ્તુપૂજા બપોરે રંગકૂટીર પ્રસાદ સ્નપ્ન 81 કળશ દ્વારા અલગ અલગ રસથી અભિષેક કરાયો હતો.ત્યારબાદ વાજતે ગાજતે ભક્તિ રસ સાથે ભજન કીર્તનના તાલે રંગ કૂટીરમાં બાપજીની પધરામણી કરી હતી. સૌ ભક્તો દિગંબરા દિગંબરાની ધૂન પર ઝુમી ઊઠી ભક્તિ રસમાં તરબોળ થયા હતા.પાદુકા પૂજન અને પ્રતિમા પૂજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું ભવ્ય આયોજન સાથે રંગ ભક્તોએ દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ