સુરત, 9 જૂન (હિ.સ.)- આયુષ મંત્રાલય-દિલ્હી અને INO દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025 ના ભાગરૂપે વહેલી સવારે ઉધના સ્થિત અટલ બિહારી ગાર્ડન ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ અને ‘યોગ શિબિર (યોગ સંગમ)’ યોજાઈ હતી.
જેમાં INO- ગુજરાતના જનરલ સેક્રેટરી વિજયકુમાર શેઠ અને જિલ્લા કોઓર્ડિનેટર ડૉ.પારૂલ પટેલે યોગ પ્રોટોકોલ તાલીમ આપી હતી. યોગના પ્રચાર સાથે સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે લોકજાગૃતિ વધે તેવા આશયથી આયોજિત યોગ શિબિરમાં 200 થી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે