વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી વિભાગનું તદ્દન અચાનક ચેકિંગ
વડોદરા, 1 જુલાઈ (હિ.સ.)- આજે વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્ટેશન પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને તેલના નમૂનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોર
Vadodara


વડોદરા, 1 જુલાઈ (હિ.સ.)- આજે વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્ટેશન પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને તેલના નમૂનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના નિર્દેશ મુજબ, રેલવે મેડિકલ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર શૈલેન્દ્ર પારીખના નેતૃત્વમાં ટીમે સ્ટોલોનું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને તેલમાં તળેલા ખાદ્ય પદાર્થો માટે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) મીટરની મદદથી તેલની શુદ્ધતા ચકાસવામાં આવી.

જ્યાં તેલમાં TPCનું પ્રમાણ 25%થી વધુ હોવાનું જણાતું હોય, ત્યાં તેલનો તાત્કાલિક નાશ કરવામાં આવે છે. જો TPC 20.5% જેટલું હોય, તો વેચાણકર્તાને તેલ તુરંત બદલવાની સૂચના આપવામાં આવે છે.

ફૂડ સેફ્ટી વિભાગે છેલ્લા 10 દિવસમાં 10 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કર્યા છે, જ્યારે સમગ્ર મહિને આશરે 20 નમૂનાઓ લેવાતા હોવાનું જણાવાયું છે. આ તમામ નમૂનાઓ વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વિશેષ નોંધનીય છે કે વડોદરા મંડળના 18 રેલવે સ્ટેશનોમાં માત્ર બે જ કર્મચારી — એક ઓફિસર અને એક સહાયક — આ કામગીરી સંભાળી રહ્યા છે. તેમાં ડાકોર, આણંદ, નડિયાદ, પ્રતાપ નગર, ડેરોલ, ભરૂચ, અંકલેશ્વર અને કોસંબા જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ

થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande