પોરબંદર જિલ્લાના પૂર્વ સૈનિકો માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે જોબ ફેર યોજાશે
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકોને નોકરીની વધુ તકો મળી રહે તે હેતુથી ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા આગામી ૨૫મી જુલાઈ-2025, ગુરૂવારના રોજ સવારે 7:00 કલાકે અમદાવાદ ક
પોરબંદર જિલ્લાના પૂર્વ સૈનિકો માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે જોબ ફેર યોજાશે


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકોને નોકરીની વધુ તકો મળી રહે તે હેતુથી ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા આગામી ૨૫મી જુલાઈ-2025, ગુરૂવારના રોજ સવારે 7:00 કલાકે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે પૂર્વ સૈનિકો માટે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક તમામ પૂર્વ સૈનિકોએ તેમનું ઓરિજિનલ ઓળખપત્ર તથા બાયો ડેટા/રીઝયૂમની પાંચ (05) નકલ સાથે નિર્ધારિત સમયે સ્થળ પર હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પોરબંદર દ્વારા જિલ્લાના તમામ પૂર્વ સૈનિકોને અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande