જુનાગઢ અસરગ્રસ્ત ૧૮ જેટલા રસ્તાઓ પર .પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી
જુનાગઢ, 14 જુલાઈ (હિ.સ.) રસ્તાઓ તેમજ પુલોમાં સમારકામ/સુધારણાની કામગીરીનો ઝડપી બનાવવા જરૂરી મશીનરી તેમજ માનવબળ કામે લગાડવામાં આવેલ છે. જે ટીમ કોઇપણ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે કામગીરી કરવા માટે પુર્ણ સજ્જ છે. તેમની કામગીરીનું નિરીક્ષણ નાયબ કાર્યપાલક
અસરગ્રસ્ત ૧૮ જેટલા રસ્તાઓ


જુનાગઢ, 14 જુલાઈ (હિ.સ.) રસ્તાઓ તેમજ પુલોમાં સમારકામ/સુધારણાની કામગીરીનો ઝડપી બનાવવા જરૂરી મશીનરી તેમજ માનવબળ કામે લગાડવામાં આવેલ છે. જે ટીમ કોઇપણ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે કામગીરી કરવા માટે પુર્ણ સજ્જ છે. તેમની કામગીરીનું નિરીક્ષણ નાયબ કાર્યપાલક ઇજનેર, તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં જુન ૨૦૨૫ થી વરસાદના કારણે અસરગ્રત કુલ ૧૮ જેટલા રસ્તા પર ખરાબ સપાટી પર પેચની કામગીરી પુર્ણ કરેલ છે. તેમજ બાકીના રસ્તા પર કામગીરી પ્રગતિમાં છે. વિભાગ હેઠળના કુલ ૯૩ જેટલા પુલોનું નિરીક્ષણ તેમજ જરૂર જણાયેલ પુલો પર સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. બાકીના પુલોના નિરિક્ષણની કામગીરી પ્રગતિમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande