પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે દુરસ્ત થયેલા માર્ગોનું સમારકામ પૂર જોશમાં કાર્યરત છે. પોરબંદર શહેરમાં છાંયા - રાંઘાવાવ અને કુતિયાણા તાલુકામાં અમર ગામે માર્ગ પર પેચવર્કની કામગીરી કરાઈ છે.
પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે. વરસાદના પાણી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા પોરબંદર જિલ્લા કલેક્ટરએસ. ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રવિવારે પણ બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં કાર્યરત હતી. જેમાં કુતિયાણા તાલુકાના અમર ગામ ખાતે અને પોરબંદર શહેરમાં આવેલ છાંયા રાંઘાવાવમાં બિસ્માર બનેલા રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya