શાપુર ગામ પાસે આવેલ બ્રિજ પર, તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે તારીખ ૯ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે
જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) શાપુર ગામ પાસે આવેલ પુલ જૂનો અને જર્જરિત થઈ ગયેલ હોય સલામતી માટે માટે આ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે. બી .પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ
શાપુર ગામ પાસે આવેલ બ્રિજ પર, તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે તારીખ ૯ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે


જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) શાપુર ગામ પાસે આવેલ પુલ જૂનો અને જર્જરિત થઈ ગયેલ હોય સલામતી માટે માટે આ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે. બી .પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ શાપુર ક્રોસિંગ રોડ પર નેશનલ હાઇવે થી શાપુર ગામ તરફ જતા શાપુર ગામ પાસે આવેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તા- બ્રિજ બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે વાડલા- ધણફૂલીયા- શાપુર રોડ અને વાડલા - લુવાસર- શાપુર રોડ નો ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૯/૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande