પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાગેશ્રી વાયા કાનાકુંવા રોડ પર ચેનેજ 1/650આવેલ માઇનોર બ્રીજની રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી કામગીરી પુર્ણ ના થાય ત્યાં સુધી ભારે વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવા તેમજ વૈકલ્પિક રૂટ ઉપરથી ભારે/મધ્યમ વાહનોની અવર-જવર કરવા માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
વૈકલ્પિક માર્ગ તરીકે મહોબતપરા પાટીયા (વચ્છરાજ હોટલ) થી મહોબતપરા ગામ, ખાગેશ્રી રોડ તથા કાનાકુંવા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે વાહન ચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવી, આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેતું હોય જેથી વાહન ચાલકે પોતાનું વાહન ક્યાય પાર્ક કરવું નહિ, ભારે વાહન ચાલકે તેમના વાહનની સાઇઝથી વધારે અને ક્ષમતાથી વધારે માલ ન ભરવો, માલ ભરેલ વાહનમાં માલ ઉપર તાલપત્રી બાંધવી તેમજ કોઇપણ વાહનચાલકે મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ કરવો નહિ.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya