વેરાવળ આ અભિયાનમાં, નીચે મુજબની યોજનાઓના લાભ પુરા પાડવામાં આવશે
વેરાવળ, 2 જુલાઈ (હિ.સ.) વેરાવળ- -શૂન્ય બેલેન્સથી પીએમજેડીવાય ખાતું ખોલાવવુ અને કોઈપણ ચાર્જ વિના ૨ લાખ રૂપિયાના અકસ્માત વીમા સહિત મફત ડેબિટ કાર્ડ આપવામાં આવશે. -માત્ર રૂા.૪૩૬ ના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ
વેરાવળ આ અભિયાનમાં, નીચે મુજબની યોજનાઓના લાભ પુરા પાડવામાં આવશે


વેરાવળ, 2 જુલાઈ (હિ.સ.) વેરાવળ-

-શૂન્ય બેલેન્સથી પીએમજેડીવાય ખાતું ખોલાવવુ અને કોઈપણ ચાર્જ વિના ૨ લાખ રૂપિયાના અકસ્માત વીમા સહિત મફત ડેબિટ કાર્ડ આપવામાં આવશે.

-માત્ર રૂા.૪૩૬ ના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં નોંધણી કરવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૫૦ વર્ષ)

-માત્ર રૂા.૨૦ ના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૭૦ વર્ષ)

-રૂા.૧૦૦૦ થી રૂા.૫૦૦૦ પ્રતિ માસ સુધીના ગેરેન્ટેડ પેન્શન માટે અટલ પેન્શન યોજનામાં જોડવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૪૦ વર્ષ)

-૧૦ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલા બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા તથા નિષ્ક્રિય ખાતામાં ફરીથી કેવાયસી કરવામાં આવશે.

-ડિજિટલ છેતરપિંડીથી બચાવવા તથા RBI માં ટ્રાન્સફર થયેલ દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવશે.

જિલ્લાના નાગરિકો જે-તે ગામમાં કે વિસ્તારમાં યોજનાર શિબિર અંગેની માહિતી, પોતાના ગામની નજીકની બેંક શાખા /બેંકમિત્ર પાસેથી મેળવી શકશે.

આ માટેની વધુ માહિતી માટે જિલ્લા લીડ બેક મેનેજરની કચેરી (બીજોમાળ, એસ.બી.આઇ. બેક, ૮૦ ફુટ રોડ,વેરાવળ) તથા કલેકટર કચેરી,ગીર સોમનાથનો સંપર્ક કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande