પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મનપાની રેઢીયાળ પશુઓને પકડવાની કામગીરીને લઈ બાધા ઉભી કરનાર મહિલા સહિત નવ સામે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ફરીયાદ નોંધવામાં આવી છે. પોરબંદર મનપા દ્વારા મંડેર ગામેથી પકડવામાં આવેલા આઠ જેટલા આખલા મનપા સંચાલિત ઓડેદર ગૌશાળા ખાતે લાવામાં આવતા તે મુદે રમેશ ઓડદરા, લીલુબેન ભુતીયા, ભીમભાઈ રાતીયા, નેહાબેન કારાવદરા, રાજુભાઈ શર્મા, અમિત ખોડા તેમજ દિનેશભાઈ માળી અને બે અજાણ્યા શખ્સો મળી કુલ નવ સામે લખમણ પરબતભાઈ સિંધલે હાર્બર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી સાત જેટલા લોકોએ ગેર કાયદે મંડળી રચી ફરીયાદ લખમણભાઈને ભુંડી ગાળો આપી તમે હલકા માણસો છો અને હલકુ કામ કર છો તેમ કહી જ્ઞાતિ વિષે ખરાબ શબ્દો બોલી હડધુત કર્યા હતા ત્યાર બાદ ત્રણ ખુંટીયાને ટ્રેકટર ભરાવી મહાનગરપલિકા ખાતે લાવ્યા હતા ફરીયાદ અને સાહેદોને ભુંડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી પાલિકા કચેરીના ચોકીદાર અશોકભાઈ જોષીએ પાલિકા કચેરીના ગેટ બળજબરી પૂર્વક અંદર લઈ ગેર વર્તન કરી ધક્કો મારી પછાડી દઈ શરીરે ઈજા પહોંચાડી હતી ત્યાર બાદ મહાનગરપાલિકામાં બિલ્ડીગમાં હોબાળો રાડો પાડી જાહેર શાંતિનો ભંગ કરવા અંગેની ફરીયાદ નોધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya