કલેકટરની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગઅલગ જગ્યાએ આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.) જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ - અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધા
શંકાસ્પદ સરકારી અનાજનો


ગીર સોમનાથ, 21 જુલાઈ (હિ.સ.)

જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ - અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકાના અલગ - અલગ વિસ્તારો માંથી ઘઉં-૧૩૨૦ કિ.ગ્રા., ચોખા-૫૯૦ કિ.ગ્રા., ચણા-૯૬૦ કિ.ગ્રા., વજન કાટો-૧, રિક્ષા-૨ તથા બોલેરો પીકપ વાહન-૧ એમ કુલ મળી રૂા.૭,૫૬,૦૯૦/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande