પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના નગીદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન પર તલવાર વડે હુમલો કરવામા આવ્યો હતો યુવાનના સાળાએ જ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખંવાની ધમકી આપી હત. પોરબંદરના નગીદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ દેવજીભાઈ પુનાણી નામના યુવાન પર શશી ગોરધનભાઈ પાટણેશા અને નિલેષ ધરમશીભાઈ પાટણેશા નામના બે શખ્સો તુ મારી બહેનને કેમ મારમારી કઢી મુકે છે તેમ કહી અને તલવાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya