ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) રક્તદાન એ મહાદાન’ છે. જેમ એક મીણબત્તીની જ્યોત પ્રજ્જવલિત હોય અને તેનાથી બીજી મીણબત્તી પ્રગટાવી શકાય છે, એ જ રીતે રક્તદાન કરવાથી એક જિંદગીની મદદ વડે બીજી જિંદગી બચાવી શકાય છે.
‘રક્તદાન એ મહાદાન’ ઉક્તિને સાર્થક કરતા પી.એચ.સી પણાદર ખાતે દિવ્યજ્યોતી બ્લડબેંક ઉના અને આરોગ્ય તંત્રના સંકલનથી બ્લડ ડોનેશન શિબિર યોજાઈ હતી.
આ બ્લડ ડોનેશન શિબિરમાં અંદાજીત ૫૦ કરતા વધુ યુનિટ રક્ત એકઠું થયું હતું. રક્તદાન કરવા માટે આવેલા તમામ ડોનર્સ માટે જ્યુસ તેમજ બિસ્કિટની વ્યવસ્થા અંબુજા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ