આરોગ્ય વિભાગ દ્વારા આંકોલવાડીમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું
ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) આરોગ્ય વિભાગ દ્વારા ટીડી વેક્સિનેશન કેમ્પેઈન અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોનું રસીકરણ કરાયું હતું. તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોને ડીપીટી અને ધોરણ ૫
વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું


ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) આરોગ્ય વિભાગ દ્વારા ટીડી વેક્સિનેશન કેમ્પેઈન અંતર્ગત આંકોલવાડી ગામ ખાતે તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોનું રસીકરણ કરાયું હતું.

તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતાં બાલવાટિકાના બાળકોને ડીપીટી અને ધોરણ ૫ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં બાળકોનું ટીડી વેક્સિનેશન કરાયું હતું.

આ કાર્યક્રમ આયુષ્યમાન આરોગ્ય મંદિર આંકોલવાડીનાં કર્મચારી નર્સ ટી.એ.વ્યાસ અને સહયોગી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કાર્યક્રમમાં બાળકોને ટીટેનસ અને ડિપ્થેરિયા રોગ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ રોગ શું છે? રોગ કેવી રીતે ફેલાય છે અને ટીટેનસ તેમજ ડિપ્થેરિયાના ચિહ્નો–લક્ષણો વિશે પણ બાળકોને માહિતગાર કરી સાવચેતીના પગલાં વિશેની સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તપોવન વિદ્યા સંકુલ પરીવારના શિક્ષક મિત્રો દ્વારા પૂરતો સહયોગ કરવામાં આવ્યો હતો. જેથી કુલ ૨૩૦ બાળકોને આવાં ભયજનક રોગો સામે રક્ષિત કરવામાં આવ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande