પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના અસામાજીક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તેમની સામે મિલ્કત અને વીજ સંબધિત કાર્યવાહી શરૂ કરવામાં અવજતા અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગોયો છે કમલાબાગ પોલીસ બાદ ઉદ્યોગનગર પોલીસ દ્રારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવામા આવી હતી જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચનાથી ગ્રામ્ય ડિવાયએસપી સુરજી મહેડુના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગરના પીઆઇ ડી જી ગોહિલ સહિતના સ્ટાફે મહાનગરપાલિકા અને પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી મિલ્કત સંબધીત તેમજ વીજ સંબધિત કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી જેને પગલે અસામાજી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya