પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ખાપટથી આદિત્યાણા રોડ પર અકસ્માતની ઘટના બની હતી જેમા બેફામ બનીને દોડતી કારે બાઈકને ઠોકર મારતા યુવાનનુ મોત થયુ હતુ.પોરબંદરના ખાપટ ખેતલીયાદાદાના મંદિર પાસે રહેતો ધર્મેશ કાનાભાઈ ખાખરા નામનો યુવાન પોતાનુ મોટરસાયકલ નં-જીજે-25-એબી-6713 લઇ ખાપટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન બેફામ બનીને દોડતી કારનં જીજે-32-બી-3671ના ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારતા બાઈક ચાલક ધર્મેશ ખાખરા નામનો યુવાન નીચે પટકાયો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ બનાવમાં મૃતકના ભાઈ રાજુ કાનાભાઈ ખાખરાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya