પ્રાચી તીર્થ ખાતે દશામાના વ્રતને લઈ બજારમાં દશામાની મૂર્તિનું આગમન
ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ તેમજ તમામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દશામાના વ્રતની ભાવભર ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો તેમજ ભાઈઓ બંને આ વ્રત રાખે છે કે શ્રાવણ માસના પ્રથમ દિવસે દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરી વિધિ વ્રત પૂજા અર્ચ
પ્રાચી તીર્થ ખાતે દશામાના વ્રતને લઈ બજારમાં દશામાની મૂર્તિનું આગમન


ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ તેમજ તમામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દશામાના વ્રતની ભાવભર ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો તેમજ ભાઈઓ બંને આ વ્રત રાખે છે કે શ્રાવણ માસના પ્રથમ દિવસે દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરી વિધિ વ્રત પૂજા અર્ચના કરી માતાજીના ઉપવાસ કરે છે. આ વ્રત 10 દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કર્યા પછી દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જન કરાય છે. આ દશામાંના વ્રતને લઈ બજારમાં પણ દશામાની અવનવી મૂર્તિઓ જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande