પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર જીલ્લા રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા સરકારી માધ્યમિક શાળા કાંટેલા અને બી.જે.બી.હાઇસ્કુલ-ભાવપરા ખાતે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” યોજવામાં આવ્યો હતો.સેમિનારમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કેરિયર કાઉન્સેલર રાજેશભાઇ પરમારે શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી ધડતર સહિતનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનાર દરમ્યાન વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે જરૂરી મુદાઓ, વિકલ્પો, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અને કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. વગેરે જેવા વિવિધ ડિગ્રી અને તાલીમી અભ્યાસક્રમોની માહિતી આપી હતી.આ સેમિનારમાં વિદ્યાર્થીઓ દ્વારા કારકિર્દીલક્ષી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેનું સામાધાન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya