જામનગરના રીક્ષાચાલક પાસે રૂ.50 હજારનું 30% જેટલા રાક્ષસી વ્યાજની વસુલાત
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગરનો એક રીક્ષા ચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ ગયો છે. રૂ.50 હજાર 30% લેખે વ્યાજે લીધા બાદ તેના રૂ.75 હજાર ચૂકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી તેની બે રીક્ષાઓ આંચકી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાંવાયું છે. આ અં
વ્યાજ


જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગરનો એક રીક્ષા ચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ ગયો છે. રૂ.50 હજાર 30% લેખે વ્યાજે લીધા બાદ તેના રૂ.75 હજાર ચૂકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી તેની બે રીક્ષાઓ આંચકી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાંવાયું છે. આ અંગે ગુલાબનગરના વ્યાજખોર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં લાલવાડી જુના આવાસ વિસ્તાર ઉમિયાનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા હુસેન દાઉદભાઈ જુણેજા નામના 30 વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી બે રીક્ષાઓ પડાવી લેવા અંગે જામનગરમાં પેટ્રોલ પંપ ઢાળીયા નીચે, ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અખ્તર રફીકભાઈ ખીરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન હુસેન જુણેજાને આજથી ચારેક વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેણે આરોપી અખ્તર ખીરા પાસેથી 50 હજાર માસિક 30% લેખે વ્યાજથી લીધા હતા. જેના 15 હજાર ના પાંચ હપ્તા ચૂકવી દીધા હતા. એટલે કે 75 હજારની રકમ વ્યાજ સહિત આપી દીધી હતી.

તેમ છતાં આરોપી દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ફરિયાદી યુવાનની બે રીક્ષાઓ આંચકી લીધી હતી. જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનીય છે કે તાજતેરમાં વ્યાજખોરોની દાદાગીરીના મામલા પોલીસમાં પહોચ્યા છે અને વધુ એક ફરીયાદ દાખલ થતા ચકચાર વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande