જૂનાગઢ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની “નમોશ્રી” યોજના
જુનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર સગર્ભા, ધાત્રી બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવા ઓ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.રાજ્યમાં બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે તેમજ માતા તથા નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવાના ઉમદા આશય
જૂનાગઢ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની “નમોશ્રી” યોજના


જુનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર સગર્ભા, ધાત્રી બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવા ઓ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.રાજ્યમાં બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે તેમજ માતા તથા નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ થી નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આ નમોશ્રી યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૫૪૯૫ હપ્તા માં લાભાર્થીને કુલ રૂ ૩,૭૯,૮૮,૧૦૦/- ની સહાય રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર DBT મારફતે ચૂકવણું કરેલ છે.

પ્રથમ તેમજ દ્વિતીય સગર્ભાવસ્થા માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર પ્રથમ પ્રસુતિ ના કિસ્સામાં કુલ રૂ. ૭,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

જયારે બીજી પ્રસૂતીના કિસ્સામાં દીકરી હોય તો નમોશ્રી અને PMMVY યોજનાના સયુંકત સહાયથી રૂ ૧૨૦૦૦ ની સહાય આપવામાં આવે છે અને જયારે બીજું બાળક દીકરો હોય તો સપૂર્ણ રૂ ૧૨૦૦૦/ ની સહાય નમોશ્રી યોજનામાંથી મળે છે. પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનાનાની સહાય ભારત સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે જયારે નમોશશ્રી યોજનાની સહાય ગુજરાત સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને તબક્કાવાર DBT મારફતે સહાય આપવામાં આવે છે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીક્ના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશા નો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande