પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)આત્માના પ્રોજેકટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ કેવીકે ખાપટ ખાતે ફાર્મર સાયન્ટીસ્ટ ઇન્ટરેકસન કાર્યક્રમ યોજાયો હતો અને કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિવિધ મુદે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ પોરબંદર તેમજ કે.વી.કે સિનિયર સાઇન્ટિંસ્ટ હેડ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ફાર્મર રજિસ્ટ્રી,ખરીફ સીઝનમાં મગફળી પાકમાં પ્રાકૃતિક ખેતીની વિવિધ જાણકારી અને પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને પ્રાકૃતિક શાકભાજી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવાંમાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya