રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 58 પર ખેરાલુથી સતલાસણા સુધી મરામતનું કામ શરૂ
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં મુસાફરોને વાહન વ્યવહારમાં કોઈ અવરોધ ન આવે એ હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખતમ થયેલા માર્ગોની મરામત તથા રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 58 પર ખેરાલુથી સતલાસણા સુધી મરામતનું કામ શરૂ


રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 58 પર ખેરાલુથી સતલાસણા સુધી મરામતનું કામ શરૂ


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં મુસાફરોને વાહન વ્યવહારમાં કોઈ અવરોધ ન આવે એ હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખતમ થયેલા માર્ગોની મરામત તથા રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ છે.

આ પ્રક્રિયા હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ હસ્તકના નં. 58 ઉપર આવેલા ખેરાલુથી સતલાસણા વચ્ચેના રસ્તા પર પેચવર્ક સહિત મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ માર્ગ પર હોટમિક્ષ મટીરિયલ અને રોલર મારફતે સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિક લોકો તેમજ મુસાફરોને સલામત અને સરસ ગતિશીલ ટ્રાફિક સુવિધા પ્રાપ્ત થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande