પોરબંદર, 30 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં એક સપ્તાહ પૂર્વે સગીરા પર સામુહિક દુષ્કર્મ આચારવામાં આવ્યુ હતુ આ કેસના મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરને અમદાવાદ ખાતે એલસીબીએ ઝડપી લીધો હતો અને મંગળવારે સાંજના સમયે આરોપી પાસે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ.
આ સમયે જયરાજ રળતી આંખે બે હાથ જોડી હવે કાયદો હાથમાં નહિં હવે પછી આવી ભુલ નહિં કરુ તેવુ રટણ કરતો હતો. આજના યુવાન કયારેક એવુ ભુલ કરી જાય છે. જેના કારણે યુવાનોની ઝીદીગી નર્ક બની જાય તો પરિવાર પરિવારને પણ યાતના વેઠવી પડે છે. પોરબંદર પોલીસે પણ સામુહિક દુષ્કર્મ કેસના ચારેય આરોપીને ઝડપી લીધા છે પોલીસની કામગીરીને બિરદાવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya