અમરેલીમાં આવેલું મંદિર, ભક્તો માટે છે આસ્થા નું કેન્દ્ર
અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ શહેરમાં આવેલું રીધી સીધી મહાદેવ મંદિર તેની અનોખી રચના અને દિવ્યતા માટે ઓળખાય છે. ગુજરાતભરમાં અનેક શિવમંદિરો છે, પરંતુ રીધી સીધી મહાદેવ મંદિર એવુ
અમરેલીમાં આવેલું મંદિર ભક્તો માટે છે આસ્થા નું કેન્દ્ર


અમરેલી, 31 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ શહેરમાં આવેલું રીધી સીધી મહાદેવ મંદિર તેની અનોખી રચના અને દિવ્યતા માટે ઓળખાય છે. ગુજરાતભરમાં અનેક શિવમંદિરો છે, પરંતુ રીધી સીધી મહાદેવ મંદિર એવુ એક માત્ર મંદિર છે જ્યાં એક જ થાળામાં બે શિવલિંગની સ્થાપના થયેલી છે શ્રદ્ધાળુઓની વિશ્વાસની અનોખી છાપ અહીં ઊંડે વસે છે.

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શિવ ભક્તિનો મહિમા ગુંજતો તહેવારો અને આરાધનાનો સમય. આજ સમયમાં રીધી સીધી મહાદેવ મંદિરમાં વિશેષ ઉજવણીના દ્રશ્યો જોવા મળે છે. મંદિરનું પૂર્ણ પરિસર શ્રાવણ માસમાં રંગોળી, ફુલોથી શણગારવામાં આવે છે અને ભક્તો માટે ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવે છે. દરરોજ નવા પ્રકારના શણગાર, શિવલિંગ પર અભિષેક, ધૂપદીપ અને મંત્રોચ્ચારણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપે છે.

આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એક જ થાળામાં બે શિવલિંગ સ્થાપિત છે. આ પ્રકારની રચના ગુજરાતમાં બહુ જ દુર્લભ છે. ભક્તો માનતા હોય છે કે બંને શિવલિંગ રીધી અને સીધી ભગવાન શંકરના બે સ્વરૂપોને દર્શાવે છે, એક પ્રગટ માર્ગ બતાવે છે તો બીજું સાધનાના માર્ગે આગળ વધવાનું પ્રેરિત કરે છે.

સાવરકુંડલાના નિવાસી જયસુખભાઈ ગાંગડીયા જણાવે છે કે હું દર વર્ષે શ્રાવણ મહિનામાં રીધી સીધી મહાદેવ મંદિરે જરૂરથી આવે છું. અહીં ભગવાન મહાદેવની અનોખી મુર્તિ અને શાંત વાતાવરણ મારું મન શાંતિથી ભરાઈ જાય છે. ખાસ કરીને શ્રાવણમાં તો મંદિર ખૂબ જ સુંદર રીતે શણગારાય છે. આખા મહિને અહી ભક્તોની ભીડ રહે છે.”

શ્રાવણમાં દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર થકી મંદિરના શિવલિંગ અને પરિસરને શોભાયમાન બનાવવામાં આવે છે. રંગોળી, ફૂલો, ઝુંમર, દેવવેશધારી બાળભક્તોના નૃત્ય, શિવતાંડવ સ્તોત્રના પાઠ અને આરતીઓ ભક્તિભાવથી ભરપુર રહે છે. અહીંયા ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવે છે, અને ભોળાનાથને દૂધ, બેલપત્ર, ધતૂરા અને ફૂલોની ભેટ અર્પણ કરે છે.

મંદિરના ટ્રસ્ટી અને સ્થાનિક રહેવાસીઓ શ્રાવણ મહિનામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજે છે જેમ કે અન્નક્ષેત્ર, મેડિકલ કેમ્પ, જળવિતરણ અને ભક્તોની વ્યવસ્થિત દર્શન સુવિધા.

રીધી સીધી મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ અહિં ભક્તોને એક આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. મંદિરના શિવલિંગ પાસે થોડી ક્ષણો શાંતિથી બેસવાથી ભક્તો મનની ઉથલપાથલમાંથી મુક્તિ અનુભવતા હોય છે.

સારાંશરૂપે, સાવરકુંડલાનું રીધી સીધી મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ભક્તિની શ્રેષ્ઠ રૂપે ઉભરી આવે છે. ભક્તો અહીં માત્ર દર્શન માટે નહીં, પરંતુ શિવના માર્ગે પગલાં ભરી શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આવે છે. એક જ થાળામાં બે શિવલિંગની અનોખી રચના, શ્રાવણમાં મંદિરના ભવ્ય શણગાર અને લોકોની શ્રદ્ધા આ બધું સાથે મળીને રીધી સીધી મહાદેવ મંદિરને એક વિશિષ્ટ સ્થાન આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande