જૂનાગઢ, 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ હોય તે મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં શસ્ત્ર,દંડા,તલવાર,ભાલા,ચપ્પુ,લાકડી,અથવા શારીરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઈ જવા,એકઠા કરવા તથા તૈયાર કરવા નહિ. વ્યક્તિઓ અથવા શબ અથવા આકૃતિઓ વાળા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભસ્ત સૂત્રો પોકારવા નહિ. અસ્લીલ ગીતો ગાવા નહિ. જેનાથી સુરૂચીનો શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ,તેવા હાવ ભાવ કરવા નહિ,તેવી ચેષ્ટા કરવી નહિ તથા ચિત્રો,પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદ્રથ અથવા વસ્તુઓ કરવી નહિ.
આ હુકમ સરકારશ્રીની નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય. જિલ્લા પોલીસ અધિકારીએ જે તે શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિ.ખેડૂતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય, તે અને રોજિંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય. તેને લાગૂ પડશે નહિ. આ જાહેરનામું તાત્કાલીક અસર થી તા.૨૨/૦૭/૨૦૨૫ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ શિક્ષા અને દંડ ને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ