હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, તેનું સન્માન કરવું જોઈએ: નીતિન નવીન
અંબિકાપુર, નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.) છત્તીસગઢના અંબિકાપુરના મૈનપટમાં આયોજિત ભાજપના ત્રણ દિવસીય તાલીમ શિબિર દરમિયાન, તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ પર પણ ચર્ચા થઈ હતી. છત્તીસગઢના પ્રભારી અને બિહાર સરકારના કેબિનેટ
હિન્દી


અંબિકાપુર, નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.) છત્તીસગઢના અંબિકાપુરના

મૈનપટમાં આયોજિત ભાજપના ત્રણ દિવસીય તાલીમ શિબિર દરમિયાન, તમિલનાડુમાં ચાલી રહેલા

ભાષા વિવાદ પર પણ ચર્ચા થઈ હતી. છત્તીસગઢના પ્રભારી અને બિહાર સરકારના કેબિનેટ

મંત્રી નીતિન નવીને, આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભારતીય જનતા પાર્ટીના ત્રણ દિવસીય શિબિરના બીજા દિવસે

મંગળવારે મૈનપટ પહોંચેલા નીતિન નવીને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે

કહ્યું કે,” ભાજપના કાર્યકરો આ બધી બાબતોનો સમયસર અભ્યાસ કરે છે. ખેલાડી મેચ રમતા

પહેલા વહેલી સવારે પીચ પર પ્રેક્ટિસ કરે છે. જેથી તે વધુ સારું પ્રદર્શન કરી શકે.”

તેમણે કહ્યું કે,” લોકો આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપે છે, હિન્દી આપણી

રાષ્ટ્રભાષા છે. દરેકે તેનું સન્માન કરવું જોઈએ. હિન્દી પર કોઈ પણ પ્રકારનો વિવાદ

ન હોવો જોઈએ.”

તે જ સમયે, કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે,”

કોંગ્રેસનું સમર્પણ અને સંકલ્પ માત્ર ભ્રષ્ટાચાર છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિષ્ણુ પાંડે / કેશવ કેદારનાથ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande