-રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું - અમેરિકા અને ભારત વેપાર
કરારની નજીક
નવી દિલ્હી, 08 જુલાઈ (હિ.સ.) અમેરિકાએ પારસ્પરિક ટેરિફ સસ્પેન્શન 1 ઓગસ્ટ સુધી
લંબાવ્યું છે. આ પગલાથી ભારતીય નિકાસકારોને રાહત મળશે. આ સાથે, નવી દિલ્હી અને
વોશિંગ્ટન વચ્ચેના વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને બાકી રહેલા
મુદ્દાઓને ઉકેલવા માટે વધારાનો સમય મળશે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારત સાથે
વેપાર કરાર પર પહોંચવાની નજીક છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાપાન અને
દક્ષિણ કોરિયા સહિત 14 દેશોના વડાઓને
પત્ર લખીને 25 થી 40 ટકા ટેરિફ
લાદવાની જાહેરાત કરી. ટ્રમ્પ વહીવટીતંત્રે વિવિધ દેશોને પત્રોનો પ્રથમ હપ્તો
મોકલ્યો.જેમાં તે દેશોના
ઉત્પાદનો પર ટેરિફની વિગતો આપવામાં આવી હતી, જે 1 ઓગસ્ટથી યુએસ
બજારોમાં પ્રવેશ કરશે. જોકે, આ દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ભારત સાથે
વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો ચાલુ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,” અમે બ્રિટન
સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, ચીન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને ભારત સાથે વેપાર
કરાર પર હસ્તાક્ષર કરવાની નજીક છીએ. આ સિવાય, અમને નથી લાગતું કે અમે જે દેશો સાથે વાત કરી છે તેમની સાથે
વેપાર કરાર કરી શકીએ. એટલા માટે અમે તેમને પત્રો મોકલ્યા છે.” ટ્રમ્પે કહ્યું કે,”
અમે તે દેશોને પણ મુક્તિ આપવાનું વિચારીશું જે અમને મુક્તિ આપે છે.”
ટ્રમ્પ વહીવટીતંત્રે વિવિધ દેશોને 'પત્રો' મોકલ્યા જેમાં તે
દેશોના ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવનારી ફરજોની વિગતો છે. અમેરિકાએ જે 14 દેશો પર નવા
ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમાં બાંગ્લાદેશ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, કઝાકિસ્તાન, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, સર્બિયા, ટ્યુનિશિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડનો
સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ લાદવાની અંતિમ
તારીખ 1 ઓગસ્ટ સુધી
લંબાવી છે. આ પહેલા આ સમયમર્યાદા 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી હતી. અમેરિકા સાથે વેપાર કરાર
પર વાટાઘાટો કરી રહેલા ભારતનો, ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ટેરિફ પત્રો મેળવનારા
દેશોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. યુએસ રિએલિએટરી ટેરિફના સ્થગિતને 1 ઓગસ્ટ સુધી
લંબાવવાથી ભારતીય નિકાસકારોને રાહત મળશે. બંને દેશોને વચગાળાના વેપાર કરારને અંતિમ
સ્વરૂપ આપવા માટે બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે વધારાનો સમય મળશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ