ઉના અને‌ વેરાવળ તાલુકામાં બિન અધિકૃત વહન માટે છ વાહનો ઝડપી પાડતું તંત્ર
ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય તથા નિવાસી અધિક કલેકટરની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાસવાળા ગામની નદી પટ્ટ વિસ્તારના ફરીયાદીશ્રી જેમાભાઈના મોબાઈલ પર સંપર્ક કરી ચેકિંગની ક
ઉના અને‌ વેરાવળ તાલુકામાં બિન અધિકૃત વહન માટે છ વાહનો ઝડપી પાડતું તંત્ર


ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય તથા નિવાસી અધિક કલેકટરની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાસવાળા ગામની નદી પટ્ટ વિસ્તારના ફરીયાદીશ્રી જેમાભાઈના મોબાઈલ પર સંપર્ક કરી ચેકિંગની કામગીરી હાથ ધરતા તપાસ સમયે બિન અધિકૃત ખનીજ ખનન કે વહનની પ્રવૃતિ ધ્યાને આવેલ નથી. પરંતુ, અત્રેની કચેરીની તપાસટીમ દ્વારા અગાઉ *તા.૨૯/૦૭/૨૦૨૫* ના રોજ ફરીયાદ વાળા વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરી *૦૨ (બે)* બિન અધિકૃત વહન સબબના કેસોમાં ૧.૦૧ લાખની વસુલાત કરવામાં આવેલ છે.

વધુમાં આજ *તા.૩૧/૦૭/૨૦૨૫* ના રોજ ઉના તાલુકાના વિસ્તારમાં અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી ઊના તાલુકા માં ૦૨ અને વેરાવળ તાલુકામાં ૦૪ વાહન મળીને *ટોટલ ૦૬(છ)* વાહન બિન અધિકૃત રીતે વહન સબબ અટકાયત કરી ૦૧ વાહનની વસૂલાત રૂ. ૦.૪૦ લાખ કરી અને બીજા ૦૫ વાહનની નિયમો અનુસાર દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત, બિન અધિકૃત વહન સબબના કેસોમાં નિયમોનુસાર દંડકીય વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.

-------

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande