ભાવનગર 12 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર મંડળ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરરોજ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના નેતૃત્વમાં મંડળ કચેરી ખાતે 11 ઓગસ્ટ, 2025 (સોમવાર)ના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના પ્રસ્થાન સંકેતથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી.
સ્વતંત્રતા દિવસના આગમનના અવસર પર મંડળ કચેરી, રેલવે મ્યુઝિયમ અને ભવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનને તિરંગાની લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. 12 ઓગસ્ટ, 2025 (મંગળવાર)ના રોજ સવારે 7.00 કલાકે “તિરંગા બાઇક રેલી”નું આયોજન કરવામાં આવશે. આ રેલી મંડળ કચેરીથી નીકળીને નીલમબાગ સર્કલથી જ્વેલ સર્કલ અને આરટીઓ સર્કલ થઈને ફરીથી મંડળ કચેરી ખાતે પૂર્ણ થશે.
પશ્ચિમ રેલવેના ભવનગર મંડળે આઝાદીનો જશ્ન મનાવવા અને રાષ્ટ્રીય ધ્વજ તિરંગા પ્રત્યે માન વ્યક્ત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે. 15 ઓગસ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા ભવનગર મંડળ કાર્યાલયમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. ભવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલકુમાર ત્રિપાઠી અનુસાર ભવનગર મંડળમાં “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ જનમાનસ અને રેલ કર્મચારીઓના મનમાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે અને જનભાગીદારીની ભાવના સાથે આઝાદીના 78મા વર્ષગાંઠનો ઉત્સવ મનાવવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાનમાં રેલ કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સામાન્ય જનતાની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે અવગત કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ