સુરત રેલ્વે સ્ટેશન ખાતે માતાનો બે બાળકો સાથે માલગાડી આગળ સુઈ આપઘાત
સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)-સુરત રેલ્વે સ્ટેશન ખાતે આજે બપોરે હચમચાવી દેનારી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા.એક મહિલા પોતાના બે સંતાનો સાથે આજે બપોરે પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ હતી.અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સુઈ ગઈ હતી.ત્યારે ટ્રેન અડફેટે આવત
1 murder


સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)-સુરત રેલ્વે સ્ટેશન ખાતે આજે બપોરે હચમચાવી દેનારી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા.એક મહિલા પોતાના બે સંતાનો સાથે આજે બપોરે પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ હતી.અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સુઈ ગઈ હતી.ત્યારે ટ્રેન અડફેટે આવતા મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનસ્થળે જ કાકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે તેણીના બને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.એટલું જ નહીં આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી.અને સ્થળ ઉપરના દ્રશ્યો જોઈ તમામ ચોકી ઉઠ્યા હતા.બને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દવારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોરે આશરે 27 વર્ષીય એક અજાણી મહિલા અને તેણીના બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 2 વર્ષીય પુત્ર બપોરે લગભગ 12 વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2 ની આગળ એક માલગાડી ટ્રેન આગળ આવી ગયા હતા.આ ગંભીર ઘટનામાં ટ્રેન અડફેટે આવ્યા બાદ કપાઈ જવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે બને બાળકોને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાએ પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 ને જાણ કરતા ઈએમટી અને પાયલટ સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.વધુમાં સ્મીમેર હોસ્પિટલ અને રેલ્વે સ્ટેશનના સૂત્રો દવારા જાણવા મળ્યું હતું કે અજાણી મહિલા પોતાના બને બાળકોને લઈને સ્ટેશન પર આપઘાત કરવાને ઇરાદે પહોંચી હતી અને એક માલગાડી આગળ ટ્રેક ઉપર સુઈ ગઈ હતી.ત્યારે ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.જોકે આ મહિલા કોણ છે અને તેનું સરનામું ક્યાં છે તેમજ આ સમગ્ર ઘટના શું તે અંગે રેલ્વે પોલીસ દવારા તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande