ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) મગફળી પાકમાં સફેદ ઘૈણ જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો ખેતીવાડી વિભાગ દ્વારા વાવેતર પહેલા નિયંત્રણ માટેના પગલા, બીજ માવજત, મગફળીના ચાસમાં આપવાની માવજત, વાવેતર પછી નિયંત્રણના પગલાઓ જણાવવામાં આવ્યાં છે.
ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થાવમાં રહેલ પુખ્તમ કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરજીવીઓ અને પરભક્ષીઓથી તેનો નાશ થશે. શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના તેમજ આજુ-બાજુના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ર૦ ઈ.સી., ર૫-૩૦ મી.લી., પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલ ઢાલિયાનો નાશ થાય. આ ઉપરાંત, જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.
ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાડન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગા./હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય.
મગફળીના બીજને વાવતા પહેલા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.
બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવુ. જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે જૈવીક જંતુનાશકો જેવી કે મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વે.પા. (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા અથવા ઉગવાના ૩૦ દિવસ પછી ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી. આ બંન્ને જૈવીક જંતુનાશકો જમીનમા આપતા સમયે જમીનમાં ભેજ હોવો આવશ્યક છે.
ઘૈણનો ઉપદ્રવ વધારે રહેતો હોય તો મગફળીના ચાસમાં બજારમાં મળતી રાસાયણીક જંતુનાશકો કલોરપાયરીફોસ ૧૦જી હેકટરે ૧૦ થી ૧પ કિ.ગ્રા. ચાસમાં વાવેતર પહેલા આપવું.
જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યાેરે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. રપ થી ૩૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. અથવા કવીનાલફોસ રપ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે./ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતીનિયામક(.વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ