સિદ્ધપુર વાલકેશ્વર મહાદેવને, બરફના અમરનાથનો શણગાર
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર બરફથી અમરનાથ મહાદેવનો સુંદર અને અદ્ભૂત શણગાર કરાયો હતો. આ શણગારના દર્શન કરતા ભક્તોએ અનન્ય આનંદ અને ધન્યતા અનુભવી હતી. મંદિરની અંદર શ્રી ગોગા મહારાજે સર્પ સ્વરૂપે, 6 ફૂટ 6
સિદ્ધપુર વાલકેશ્વર મહાદેવને બરફના અમરનાથ નો શણગાર


સિદ્ધપુર વાલકેશ્વર મહાદેવને બરફના અમરનાથ નો શણગાર


પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર બરફથી અમરનાથ મહાદેવનો સુંદર અને અદ્ભૂત શણગાર કરાયો હતો. આ શણગારના દર્શન કરતા ભક્તોએ અનન્ય આનંદ અને ધન્યતા અનુભવી હતી.

મંદિરની અંદર શ્રી ગોગા મહારાજે સર્પ સ્વરૂપે, 6 ફૂટ 6 ઇંચની કાછડી ઉતારી હતી, જે ભક્તોને નિહાળવા મળી હતી. આ દૃશ્ય ભક્તોમાં આશ્ચર્ય અને ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જતું હતું.

આ કાછડીને આજે વાલકેશ્વર મહાદેવના અમરનાથ શણગાર સામે, બાપાના આગળ મૂકી દેવાઈ હતી. ભક્તોએ આ પ્રસંગે વિશેષ શ્રદ્ધાભાવે દર્શન કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande