પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં શ્રાવણ મહિનાના છેલ્લાં સોમવારે અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિઁદ્ધેશ્વર મહાદેવ, વટેશ્વર મહાદેવ મંદિરો ખાતે સવારથી મહાદેવ ભક્તોનું મંદિરોમા ઘોડાપૂર ઉમટ્યું હતુ. જેઓ પૂજાની સામગ્રી સાથે બીલીપત્ર, ધતૂરો, પુષ્પ શિવલિંગને અર્પણ કર્યા હતા તેમજ દૂધનો અભિષેક પણ કરાયો હતો. આ ઉપરાંત દરેક મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર દેવોનું મોસાળ ગણાય છે. સરસ્વતી નદીતટે તપસ્વી શ્રી ગુરૂમહારાજ દેવશંકર બાપાની ભૂમિ છે. જેઓએ અરવડેશ્વર મહાદેવના સાનિઘ્યમાં સતત વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ જગ્યામાં પૂજ્ય ગુરૂમહારાજ શ્રી દેવશંકર બાપાનો આશ્રમ આવેલો છે. નદી કાંઠે આ નગરમાં પાંચ સ્વયંભૂ મહાદેવ આવેલા છે, જે કદાચ ગુજરાતમાં સ્વયંભૂ શિવાલયો એક સ્થળે એકથી વધારે હોય તેવું આ નગર છે. આ પાંચેય સ્વંયભુ મહાદેવના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કરવાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ દર્શાવાયુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર