અંબાજી16 ઓગસ્ટ (હિ. સ)આજે જન્માષ્ટમીના પર્વ ની ઉજવણી રાજ્ય
ને દેશ ભરમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે રાધાકૃષ્ણ મંદિર ખાતેથી
ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી કરી નેશોભાયાત્રા no પ્રારંભ કરવા માં આવ્યો હતો ને અંબાજી માં વિવિધ ટુકડીઓ દ્વારા
જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતીતેને લઇઅંબાજી માં ઠેક ઠેકાણે લોકો
દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે જે ગોવાળિયા ઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની
ધામંધુમ થી ઉજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણ
ના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છેત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ
ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિર ની આરતી કરી
વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતીતેમજ અંબાજીમાં 35
જેટલા અલગ અલગ ગોવિંદાઓ દ્વારા
ત્રણ થી ચાર માળ ના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101
જેટલી દહીં હાંડી ફોડી આજ નાં
પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ સુનિલ અગ્રવાલ પ્રમુખ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી
દ્વારા હતી જોકેઅંબાજી મંદિર માં ગત રાત્રીએ જ
શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવી દેવાયો હતો
આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં
પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે આ શોભાયાત્રાદરમિયાન અનેક મોટી સંખ્યામાં
ભક્તો જોડાયા હતા ને સાથેસુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં
આવ્યો જોકેનિકળેલી
શોભાયાત્રા મા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ