જૂનાગઢ, 2 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં “ નારી વંદન સપ્તાહ “ ની ઉજવણીના ભાગ રૂપે, “મહિલા સ્વાવલંબન દિવસ” નિમીતે મહિલા રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ બોનાન્ઝા સલૂન એલ.એલ.પી. - રાજકોટ રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની લી. જૂનાગઢ બ્રાચ, તથા ભારતિય જીવન વિમા નિગમ લી. જૂનાગઢ બ્રાંચ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ બ્યુટીશીયન, હેર ડ્રેસર, એડવાઇઝર, મેનેજર, વિમા સખી, સ્ટોક/ફ્લોર મેનેજર, કેશીયર, કાઉન્સેલર, વોર્ડન, કે હાઉસ કિપીંગ સ્ટાફની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. અથવા તેથી ઓછુ કે સ્નાતક સુધિની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ફ્ક્ત મહિલા રોજગારવાંચ્છુઓ માટે ખાસ ભરતીમેળાનું આયોજન જિલ્લા વહિવટી તંત્રની રૂએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ સભાખંડ, એગ્રીકલ્ચર યુનિવર્સીટી કેમ્પસ, જૂનાગઢ ખાતે તા.૦૪/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ