ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને લઈ બહુચરાજી માતાના મંદિરના સમયમાં ફેરફાર
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)ભાદરવા સુદ પૂનમ, તા. 07/09/2025ના રોજ આવનારા ચંદ્રગ્રહણને કારણે બહુચરાજી માતાના મંદિરના નિયમિત કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર મંદિર સવારે
ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને લઈ બહુચરાજી માતાના મંદિરના સમયમાં ફેરફાર


ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને લઈ બહુચરાજી માતાના મંદિરના સમયમાં ફેરફાર


ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને લઈ બહુચરાજી માતાના મંદિરના સમયમાં ફેરફાર


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)ભાદરવા સુદ પૂનમ, તા. 07/09/2025ના રોજ આવનારા ચંદ્રગ્રહણને કારણે બહુચરાજી માતાના મંદિરના નિયમિત કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે. સવારે 6:30 કલાકે મંગળા આરતી અને સવારે 10:30 કલાકે રાજભોગ આરતી યોજાશે.

બપોરે 2:30 કલાકે માતાજીની સાંજની આરતી રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:00 થી 4:30 વાગ્યા સુધીમાં માતાજીની પાલખીની પૂજા કરવામાં આવશે. 4:30 વાગ્યે નિજ મંદિરથી માતાજીની પાલખી વિહાર માટે નીકળશે અને પરત ફર્યા બાદ દર્શન માટે મંદિર બંધ કરી દેવામાં આવશે.

ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને સાંજે 6:00 વાગ્યે મંદિર દર્શન બંધ રહેશે. બીજા દિવસે મંદિર ફરી નિયમિત નિત્યક્રમ મુજબ સવારે 5:00 વાગ્યે ખુલશે. ટ્રસ્ટ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમય મુજબ દર્શન અને ધાર્મિક વિધિમાં સહભાગી બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande