પાટણના નિર્મળ નગર માર્ગ પર નવા બોરવેલ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત, પાણીની સમસ્યાનો મળશે કાયમી ઉકેલ
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિના પાછળના ભાગે નવા બોરવેલનું નિર્માણ થવાનો છે. પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલન
પાટણના નિર્મળ નગર માર્ગ પર નવા બોરવેલ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત, પાણીની સમસ્યાનો મળશે કાયમી ઉકેલ


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિના પાછળના ભાગે નવા બોરવેલનું નિર્માણ થવાનો છે. પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના નગરસેવકો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બોરવેલ પ્રોજેક્ટમાં નવું પંપરૂમ અને પંપિંગ મશીનરી લગાવવામાં આવશે. 15માં નાણાપંચના વર્ષ 2022-23ના પ્રથમ હપ્તાની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ કાર્ય ચલાવવામાં આવશે. હાઇવે વિસ્તારના રહેવાસીઓને પૂરતા દબાણથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.

રજનીભાઈ પટેલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા અને સરકાર દ્વારા સતત જનસુખાકારીના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. આ બોરવેલથી વિસ્તારના લોકોના જીવનમાં સુધારો આવશે અને પાણીની ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande