ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા આગામી ગણેશ ચતુર્થી તથા રામદેવપીર ધ્વજારોહણ તથા ઇદે મીલાદ તહેવારો સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે આયોજકો તેમજ દરેક સમાજનાં આગેવાનો સાથે શાંતી સમીતીની મીટીંગ યોજવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને
આજરોજ વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી નાઓ દ્વારા વેરાવળ શહેરના તમામ સમાજ/ધર્મના આગેવાનોને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. અને આ મીટીંગમાં ગણેશ ચતુર્થીના તહેવાર સબબ ગણેશજીની સ્થાપના/વિસર્જનના આયોજકો તથા રામદેવપીર મહારાજના ધ્વજારોહણ સબબ નીકળનાર શોભાયાત્રાના આયોજકો તથા ઇદે મીલાદ સબબ મુસ્લીમ સમાજના આગેવાનોને જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવા આયોજકો/આગેવાનોને અનુરોધ કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ