અમરેલી , 27 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતની મીઠાઈઓમાં પેંડાને વિશેષ સ્થાન મળ્યું છે. ખાસ કરીને અમરેલી જિલ્લાનો સાહિબનો પેંડો સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા શહેરોમાં લોકપ્રિય છે. સાવરકુંડલા શહેરના પેંડા તો ખાસ જાણીતા છે કારણ કે અહીં છેલ્લા 20 વર્ષથી સતત એકસરખો સ્વાદ અને ગુણવત્તા જાળવીને આ મીઠાઈનું વેચાણ કરવામાં આવે છે. આજે પણ આ પેંડાને સ્વાદ ચાખવા લોકો દૂર દૂરથી આવે છે.
સાવરકુંડલાના વેપારી જગદીશભાઈ માધવાણીએ 20 વર્ષ પહેલા પેંડા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં માત્ર થોડા કિલો પેંડા રોજ તૈયાર થતા હતા, પરંતુ ધીમે ધીમે લોકપ્રિયતા વધતાં આજે રોજગારીનું સ્વરૂપ ધારણ કરી ગયું છે. રોજગારી સાથે સાથે શહેરની ઓળખમાં પણ આ પેંડાએ એક નવી ઉમેરણ કરી છે.
જગદીશભાઈ જણાવે છે કે રોજના સરેરાશ 20 કિલો પેંડા તૈયાર કરવામાં આવે છે અને દિવસ પૂરાં થાય તે પહેલા જ વેચાઈ જાય છે. શહેરમાં જ નહીં પરંતુ ગામડાંમાંથી આવનારા લોકો પણ અહીંથી પેંડા ખરીદી લઈને જાય છે. ખાસ વાત એ છે કે આ પેંડાનો સ્વાદ છેલ્લા બે દાયકાથી એકસરખો જાળવવામાં આવ્યો છે. આ જ કારણ છે કે જુના ગ્રાહકો આજે પણ એક જ જગ્યા પરથી પેંડા ખરીદવા કરે છે.
સાવરકુંડલાના આ પેંડા દુકાનમાં વિવિધ પ્રકારના પેંડા ઉપલબ્ધ છે. સફેદ પેંડા – 560 રૂપિયા પ્રતિ કિલો પીળા કેસર પેંડા 640 રૂપિયા પ્રતિ કિલો થાબડી પેંડા 600 રૂપિયા પ્રતિ કિલો, દરેક પ્રકારના પેંડા માટે અલગ અલગ ગ્રાહક વર્ગ છે. કેસર પેંડાને ખાસ પ્રસંગોમાં પસંદ કરવામાં આવે છે, જ્યારે સફેદ પેંડા સામાન્ય દિવસોમાં વધારે વેચાય છે. થાબડી અને માવાના પેંડા પણ તહેવારોમાં ખાસ માંગ ધરાવે છે.
સાવરકુંડલાના આ પેંડા માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યના મહાનગરોમાં પણ પહોંચે છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં આ પેંડા નિયમિત રીતે મોકલવામાં આવે છે. ઘણા પરિવારો પોતાના સગાંવહાલાં માટે કુરિયર કે બસ મારફતે આ પેંડા મોકલાવાવે છે. ગુજરાતના અલગ અલગ ખૂણામાં વસેલા લોકો માટે આ પેંડા ઘરજવો સ્વાદ યાદ અપાવે છે.
કોઈપણ મીઠાઈ વ્યવસાયમાં સૌથી મોટી મૂડી વિશ્વાસ છે. 20 વર્ષથી એકસરખી ગુણવત્તા જાળવી રાખવાની કળા જ જગદીશભાઈને સફળ બનાવે છે. ગ્રાહકોને ખબર છે કે અહીંથી લીધેલા પેંડા શુદ્ધ માવાથી બનેલા છે અને તેમાં સ્વાદ સાથે ગુણવત્તાનો સમતોલ મેળ છે.
જગદીશભાઈ જણાવે છે કે પેંડા બનાવતી વખતે ખાસ કાળજી લેવામાં આવે છે. દૂધ, માવો અને શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારના કૃત્રિમ રંગો કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ જ કારણ છે કે ગ્રાહકોના મોઢામાં એક વખત સ્વાદ પડે પછી તેઓ ફરી ફરી આવીને પેંડા ખરીદી જાય છે.
નવરાત્રિ, દિવાળી, હોळी, રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન આ પેંડાની માંગ બમણી થઈ જાય છે. લગ્ન પ્રસંગોમાં પણ મોટી માત્રામાં ઓર્ડર આપવામાં આવે છે. ઘણા પરિવારોમાં મીઠાઈ તરીકે સાવરકુંડલાના પેંડાને જ પ્રથમ પસંદગી આપવામાં આવે છે
આ પેંડા માત્ર મીઠાઈ નથી, પરંતુ સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના માટે ગૌરવ સમાન છે. શહેરના લોકો માને છે કે જેમ જૂનાગઢનો દૂધપાક, મહુવાનો લાપસી લાડુ, તેમ સાવરકુંડલાનો પેંડો પોતાની અલગ ઓળખ ધરાવે છે. સ્થાનિકો ગર્વથી પોતાના સગાંવહાલાંને કહે છે કે “અમારા શહેરના પેંડા ખાવા જેવા છે.”
આ વ્યવસાય માત્ર એક પરિવાર પૂરતો સીમિત નથી, પરંતુ તેની સાથે ઘણા કામદારો પણ જોડાયેલા છે. દૂધ પૂરું પાડનારા, માવો તૈયાર કરનારા, દુકાન પર કામદારો – સૌને રોજગારીનું સાધન આ પેંડા ઉદ્યોગ બન્યો છે.
સાવરકુંડલાના સાહિબના પેંડા આજે માત્ર મીઠાઈ નહીં પરંતુ પરંપરા, વિશ્વાસ અને સ્વાદનું પ્રતિક બની ચૂક્યા છે. 20 વર્ષથી એકસરખો સ્વાદ જાળવીને લોકોના દિલ જીતનારા જગદીશભાઈ માધવાણી અને તેમનો પરિવાર સાવરકુંડલાની ઓળખમાં એક મીઠો ઉમેરો કરી રહ્યા છે.
આ પેંડા માત્ર મીઠાશ નથી વહેંચતા પરંતુ ગ્રાહકોના દિલમાં એક ખાસ લાગણી જગાવે છે ઘરજવો સ્વાદ, શુદ્ધતા અને પરંપરાનો સંગમ. આ જ કારણ છે કે અમરેલી જિલ્લાનો આ મીઠો ખજાનો ગુજરાતભરના મહાનગરોમાં પણ લોકપ્રિય બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai