હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચમાં ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાશે
પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી યાત્રા પ્રારંભ કરી શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે 10 ઓગસ્ટે કાવડ્યાત્રામાં 108 કાવડિયા ભક્તિમય યાત્રામાં જોડાશે તેની સેવામાં 25 સ્વયં સેવકો રહેશે યાત્રાનો હેતુ આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ, શાંતિ, એક
હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચમાં ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાશે


હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચમાં ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાશે


પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી યાત્રા પ્રારંભ કરી શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે

10 ઓગસ્ટે કાવડ્યાત્રામાં 108 કાવડિયા ભક્તિમય યાત્રામાં જોડાશે તેની સેવામાં 25 સ્વયં સેવકો રહેશે

યાત્રાનો હેતુ આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ, શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ છે

ભરૂચ 3 ઓગસ્ટ (હિ.સ.)

ભરૂચથી કાવી કંબોઈ કાવડ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડયાત્રીઓ કાવી કંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવશે.

આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયાના અધ્યક્ષપદે પત્રકારોને યાત્રાની માહિતી આપવામાં આવી હતી.

યાત્રામાં 108થી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે, જ્યારે 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવાકાર્ય માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે.

યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ, તથા શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવો છે. પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાનાં અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, ઝીણા ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા, અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande