જૂનાગઢ, 3 ઓગસ્ટ (હિ.સ.) સ્વામી વિવેકાનંદ બીન નિવાસી પ્રતિભા સર્વ કેન્દ્ર coe યોજના અંતર્ગત તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી માણાવદરની પરિશ્રમ એકેડેમીમાં જુડોના ખેલાડીઓને, આપવામાં આવતી શ્રેષ્ઠ તાલીમ થકી આ શાળાના ડાંગર મોક્ષા ચંદુભાઈ રાઠોડ જયદીપ ગીરીશભાઈ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા હતા.
રાજ્ય વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થયેલા ખેલાડીઓમાં પરિશ્રમ એકેડમીના આ ખેલાડીઓની પસંદગી થતા સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી જોવા મળી હતી આ બંને યુવાનોના પ્રયત્નોને નિષ્ઠાપૂર્વક અભ્યાસથી માત્ર પોતાનું નહીં પરંતુ પોતાની શાળાનું અને ગામનું પણ ગૌરવ વધાર્યું છે મંડળ દ્વારા બંને ખેલાડીઓ તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી એકેડેમી દ્વારા સતત ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરવામાં આવી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ