ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ભાવનગર રૂટની બસને વાયા સુત્રાપાડા ચલાવવા માટે રજૂ આત કરવામાં આવી અને વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખવામાં આવ્યો સુત્રાપાડા તાલુકાના પંચાયતના પ્રમુખ ભીખાભાઈ કાનાભાઈ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી હતી કે વેરાવળ થી ભાવનગર અને ભાવનગર થી વેરાવળ વસે દોડતી બસ વાયા સુત્રાપાડા ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી
સુત્રાપાડા ધામળેજ મુળ દ્વારકા જેવા નાના મોટા બંદરોમાં આવેલા હોય અને સુત્રાપાડા તાલુકામાં ઉદ્યોગો આવેલા હોય અને વિદ્યાર્થીઓનો અભ્યાસ માટે પણ આવ જા કરતા હોય અને અન્ય લોકો પણ ભાવનગર કામ માટે જતા આવતા હોય ત્યારે આ વિસ્તારમાં ભાવનગર જવા માટે એક પણ બસ સુવિધા નથી ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
વેરાવળ ભાવનગર વાયા સુત્રાપાડા ઘામળેજ બસ ચલાવવા માગ કરાય છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ