પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા આજે ગણેશજીની મૂર્તિનુ ધામધુમ પૂર્વક વિસર્જન કરવામા આવ્યુ હતુ આસ્માતી ઘાટ ખાતે આસ્થાભેર ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવામા હજારોની સંખ્યામા શ્રધ્ધળુઓ ઉમટી પડયા હતા
પોરબંદરમા ગણેશ ચતુર્થીથી પાંચ દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી કરવામા આવે છે પોરબંદરમા પાંચ દિવસે ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવામા આવે છે.
ગણેશજીની પુજા-અર્ચના સાથે ભકિત કર્યા બાદ આજે રવિવારે વિસર્જન કરવામા આવ્યુ હતુ પોરબંદરમા અસ્માવતી ઘાટ સહિતના સ્થળે તંત્ર દ્રારા મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામા આવી હતી મોટાભાગના લોકોએ અસ્માવતી ઘાટ નજીકના દરિયાન કિનારે વિસર્જન કર્યુ હતુ શહેરરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની ઢોલ-શરણાઈ, બેન્ડવાજા અને ડી. જે સાથે સવારી નિકળી હતી રાસ-ગરબાની રમઝટ અને અબીલ -ગુલાલની છોળો ઉડી હતી અને ગણપતિબાપા મોરીયાના નાદ સાથે આસ્થાભેર વિસર્જન કર્યુ હતુ અસ્માવતી ઘાટ ખાતે શ્રધ્ધાળુઓની સાગર છલકાયો હતો અને અગલ બરસ જલ્દી આના નારા સાથે મૂર્તિનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya