પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): ઓખાના દરિયામાં માછીમારી કરી રહેલી બોટના માછીમારનુ અકસ્માતે દરિયામા પડી જતા તણાઈ જતા ગુમ થયો છે.
સંતોષ ભીમાભાઈ વેગડ મુળ ભાવનગરના સુરતનપુરનો પોતાની રાધા નામની બોટ લઈ ઓખા નજીકના દરિયામા માછીમારી કરી રહ્યો હતો તે દરમ્યાન ગત તા.4 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે અકસ્માતે બોટમાથી પડી જતા તણાઈ જતા ગુમ થયાની ફરીયાદ પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya